Skip to main content

સૌરાષ્ટ્રના સંતોમાં આજથી 384 વર્ષ પહેલા જન્મેલા એક મહાન સંતે પોતાના 109 વર્ષના જીવનકાળમાં*આ મહાન સંતે તત્કાલીન સમાજમાં ફેલાયેલા છુતા-છુત, (અસ્પ્રુશ્યતા નિવારણ) માંસાહાર.ચોરી-લુટ અને ઘરેલૂ હિન્સા જેવા અનેક દુષણો દૂર કરવામાં તેમજ સામાજિક ઐક્ય માટે કેવી રીતે પોતાનું જીવન ખર્ચી નાખ્યું તે જોઇએ!*

*જય ભગીરથ જય દાસારામ જય માં ગંગા*

🙏🏽સૌરાષ્ટ્રના સંતોમાં આજથી 384 વર્ષ પહેલા જન્મેલા એક મહાન સંતે પોતાના 109 વર્ષના જીવનકાળમાં
*આ મહાન સંતે તત્કાલીન સમાજમાં ફેલાયેલા છુતા-છુત, (અસ્પ્રુશ્યતા નિવારણ) માંસાહાર.ચોરી-લુટ અને ઘરેલૂ હિન્સા જેવા અનેક દુષણો દૂર કરવામાં તેમજ સામાજિક ઐક્ય માટે કેવી રીતે પોતાનું જીવન ખર્ચી નાખ્યું તે જોઇએ!*

Credit to (@All copyright reserved
_written By✒️Raj Sagar )

🤝🏼👉🏽ચાલો આજે સંક્ષિપ્તમાં *મહાન ભક્ત શ્રી દાસારામ બાપાનુ જીવન ચરિત્ર જોઈએ*.🙏

 👉🏽 *જન્મ અને બાળપણ*
16 થી 17 મી સદીનો સમયગાળો જ્યારે ભારત વર્ષના અડધાથી પોણા ભાગ પર #મોગલ_સામ્રાજ્ય અને ઇસ્લામી રાજાઓ રાજ કરતાં,ગુજરાતમાં પણ ઈસ્લામિક રાજ હતું.

👉🏽ત્યારે સોરઠ પ્રદેશમાં બાલાગામ નામે એક ગામ જ્યાં સગર વીરા ભગત અને હેમીબાઈ નામના દંપતી રહે. ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા દંપતી ખૂબ જ ધાર્મિક અને સેવા પરાયણ જીવન જીવતા,વાણી વર્તન વિચાર જેટલા ધર્મમા લિન એટલુ જ બાહ્ય જીવન સુંદર અને પવિત્ર, #માનવ_સેવા_એજ_પ્રભુ_સેવા જેવા સિદ્ધાંતને ઓળખીને હંમેશની જેમ ગિરનાર પવિત્ર ક્ષેત્રમાં પરોપકારથી નીકળતા.

👉🏽🏃🏽‍♂🏃🏽‍♀પણ દાંપત્યજીવનના 12 વર્ષ વિત્યા છતાં પણ ઘરનું આંગણું સુનકાર. મનમાં એક આશા હતી કે ભગવાન અમને જરૂર એક પુત્ર આપશે.🙏🏼 હવે તે સમય પણ આવી ગયો. 

👉🏽# *ગિરનારની_ગોદમાં* એક મહાન સંતના સત્સંગ સહવાસમાં આ દંપતીની પ્રભુસેવા,માનવસેવા,પરોપકારી જીવન જોઈને સંત મહાત્મા પ્રસન્ન થયા એટલે "અમને પુત્ર જોઈએ અમને પુત્ર જોઈએ" આમ પાંચ વખત પોતાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે સંતે આશીર્વચન માં તમારે ત્યાં પાંચ પુત્ર જન્મશે તેવા આશીર્વાદ આપ્યા.🙏🏼

 👉🏽સમય જતા પાંચ પુત્ર ના જન્મ થયા જેમના નામ ક્રમશઃ લાખો,લક્ષ્મણ, વાસો,ભીમો અને સૌથી નાનો પુત્ર દાસો (જે આગળ જતા #મહાન_ભક્ત_શ્રી_દાસારામ_બાપા તરીકે ઓળખાયા)

👉🏽  *અભ્યાસ અને પ્રભુ ભક્તિ*
ખૂબ જ મૃદુ અને નિર્મળ સ્વભાવના દાસેવ શાળામાં અભ્યાસ માટે જાય છે દાસેવ શાળામાં #રામાયણ #મહાભારત #ગીતા #વેદપુરાણોની વાતો કરે છે,શિક્ષકો અને વિદ્યાર્થીઓ દાસેવના સમાગમથી ખૂબ ખુશ થતા 👉🏽પણ જે પુણ્યાત્મા પોતાના દિલમાં #રાજા_સગર_રાજા_ભગીરથ,કે જેણે માં ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા, તેનો હું વંશજ છું,જે કુળમાં #ભગવાન_રામ જન્મ્યા તે કુળ મારૂં છેે,હું તે મહાન સૂર્યવંશનો વારસદાર છું, આ મનોભાવથી અભ્યાસ પૂરો કર્યો અને લોકોમાં ધર્મની સત્સંગની વાતો કરવા લાગ્યા.

👉🏽 *#લગ્નજીવન* 
યુવાવસ્થામાં દાસેવના લગ્ન કોઈલાણા ગામે સગર સવદાસભાઇ કારેણાની પુત્રી બાયાબાઈ સાથે થયા, બાયાબાઈ પણ ખૂબ જ સંસ્કારી સેવાભાવી અને #પતિ_એજ_પરમેશ્વર માનવાવાળા,અને ધાર્મિક સ્વભાવના હતા જેથી બંનેનુ સાંસારિક જીવન સુખમા વીતવા લાગ્યુ,તેમને ત્યાં બે પુત્ર (હમીર ,રાણો)અને પુત્રી જાનબાઇ એમ ત્રણ સંતાનો થયા..

👉🏽👌🏽 *દાસેવની નાનપણથી જ એક ઇચ્છા હતી*  કે આખા પરિવારને એક વખત સગર પુત્રોની ઉધ્ધારિણી માં ગંગાના દર્શન માટે જવું છે,એટલે તે યાત્રા પણ પૂરી કરી, ધામધૂમથી બાલાગામ પરત ફર્યા ચોમેર દાસેવના ગુણગાન થવા લાગ્યા,હવે તે દાસેવ મટીને "ભક્ત શ્રી દાસારામ" કહેવાતા. 

👉🏽 *#સંતપણાના_પારખા*
 👉🏽ભક્ત દાસારામના નામના ડંકા નો રણકાર અમુક લોકોથી ન જીરવાયો,🤓અનેક શંકા-કુશંકાઓ ડારો-ડફારો કરી ભક્ત દાસારામને પોતાના કાર્યમાંથી નીચે પાડવાના કિમીયાઓ ઘડાવવા લાગ્યા.પણ 💪🏼👊🏾મજબૂત મન અને ઇશશ્રદ્ધાથી ભરપૂર ભક્ત દાસારામ કહેતા કે જે ભગવાન હોવા છતાં પણ #રામ #કૃષ્ણને મુશ્કેલીઓ આવી તો આપણે શું કહેવાય.🧐
"લોકોને ભેગા કરવા,ભજનયા કરવા,બધાનો સમય બગાડવો, અને નામના તારી થાય એટલે જ તો તુ બધા લોકોને ભેગા કરે છે, અને બધાના ઘરે જાય છે આવો વિરોધ ચાલ્યો". પણ જે રાજા સગરની પાંચ_પાંચ પેઢીઓ માં ગંગાને ધરતી પર લાવવા માટે તપ કરતી રહી પોતાના ધ્યેયમાં પાંચ પેઢીઓ સુધી અડગ ઊભી રહી! તેવા મારા પૂર્વજો તેવા મહાન ભગીરથ વંશનો હું વારસદાર છું તો પછી કેમ પોતાનાં સિધ્ધાંતો માંથી ડગી શકું (પ્રસંગો અને ઘટનાઓ ઘણી બધી છે પણ લેખન ખૂબ લાંબું થાય એટલે સંક્ષિપ્તમા લખ્યું છે)🙏🏼

👉🏽 આવાં *વિરોધના વંટોળ વચ્ચે* પણ તેમની ભક્તિના ડંકા સોરઠ પ્રદેશમાં વાગતા જ રહ્યા, એવું લાગતું કે ભગવાન ભક્ત દાસારામની સાથે જ રહે છે.વિરોધીઓ પણ માફી માંગીને સાથે જોડવા લાગ્યા અને #જુનાગઢના_નવાબ_બાદશાહને પણ ભક્ત શ્રી દાસારામ ની ભક્તિ પર નતમસ્તક થવું પડ્યું.

🙏🏼😔 *ચિરકાળની_વિદાય* 
ભક્ત શ્રી દાસારામના ભક્તો, અનુયાયીઓ,સેવકો,સત્સંગીઓ દિન -પ્રતિદિન વધતા જાય છે, આખો સોરઠ,કાઠીયાવાડ,ગીર, હાલાર બરડા પંથકમાં કોઇપણ નાત-જાતનો ભેદભાવ રાખ્યા વગર પોતે દરેકના ઘેર જવા લાગ્યા, અને પ્રભુ ભક્તિ,

👉🏽 *ભક્ત શ્રી દાસારામ હવે 108 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હતા* તેથી વિચારે છે કે હવે મારે આ જગતમાં આવીને જે પ્રભુ કાર્ય કરવાનું હતું તે પૂર્ણ થયું હવે મારે પણ શ્રીહરિ ને મળવાનો સમય આવ્યો છે.તેથી સંવત 1805 ને સુદ પક્ષની અષાઢી બીજ ના દિવસે પ્રભુ ને મળવાનું નક્કી કર્યું. જે અષાઢીબીજે *ભગવાન જગન્નાથના* જગતને દર્શન થયા. એ જ  દિવસે મારે પણ ભગવાનના દર્શન કરવા છે. કદાચ આ જ ભાવથી ભક્તશ્રી દાસારામે આ દિવસ નક્કી કર્યો હશે.

👉🏽 આવી રીતે લોક જગતને સન્માર્ગે વાળી સત્કર્મ કરી આ મહાન ભક્તે બાલાગામની એક વાવના કાંઠે પોતાની પાઘડી અને માળા મૂકી વાવના જળમાં પ્રવેશ કર્યો.અને અંતર્ધ્યાન થયા🙏🏼

*આ મહાન સંતે તત્કાલીન સમાજમાં ફેલાયેલા છુતા-છુત, (અસ્પ્રુશ્યતા નિવારણ) માંસાહાર.ચોરી-લુટ અને ઘરેલૂ હિન્સા જેવા અનેક દુષણો દૂર કરવામાં કેવી રીતે પોતાનું જીવન ખર્ચી નાખ્યું તે જોઇએ! ક્રુષ્ણભક્તિ.પરોપકારતા.*
*સત્સંગ દ્વારા દૂર કરી સમસ્ત માનવ સમાજના જીવનમા ખરા અર્થમાં સુખ-શાંતિ અને સામાજિક એકતા અર્પિ* (જે તેમનાં જીવન સાથે જોડાયેલી કે બનેલી અનેક ઘટનાઓ,પ્રસંગો સાક્ષી પૂરે છે).

(આજે પણ બાલાગામ,જારેરા, સાવરકુંડલા,ઉપલેટામાં ભક્ત શ્રી દાસારામ બાપાના જાણીતા મંદિરો છે)

*ભક્ત શ્રી દાસારામ બાપા*
*જન્મ- મહા સુદ બીજ વિક્રમ સંવત-1696 (ઈ.સ 1640)*-        
                       
*જળસમાધિ આષાઢ સુદ બીજ)વિક્રમસંવત-1805 (ઈ.સ1749)*

 (જીવનકાળ 109 વર્ષ)

*ગામ-બાલાગામ,તા- કેશોદ,જી- જુનાગઢ, ગુજરાત*

👉🏽👉🏽🙏🏼 આ વખતની દાસારામ બાપાની 385મી જન્મ જયંતી ફક્ત શોભાયાત્રા કે ભોજન લઈને નહીં પરંતુ વૈચારિક રીતે પણ ઉજવીએ 🙏🏼🤝🏼

દાસારામ બાપાની 385મી જન્મ જયંતી પર સૌને કોટી કોટી વંદન સહ ખૂબ ખૂબ શુભકામનાઓ💐💐🙏🏼

✒️Written by_Raj Sagar 
(ખાસ નોંધ:-આ ચરિત્ર લખાણમાં કોઈએ એડિટિંગ કે કટીંગ કરવું નહીં જેથી આ લખાણનો ભાવાર્થ જળવાઈ રહે🙏🏽🤝)
આ લખાણ *સંક્ષિપ્ત સગર સૂર્યવંશ*
 (✒️Writing By Shailesh Sagar,Raj Sagar and Others) 
પુસ્તક(Coming Soon)મા આલેખવામા આવ્યું છે!

*- ક્ષત્રિય સગર ઉધ્ધારક સેના*

Comments

Post a Comment

Popular posts from this blog

પાલાભાઈ ભીમાભાઈ શીર જે જીરો બજેટ ગાય આધારીત ખેતી કરે છે ( જય ભગીરથ પ્રાકૃતિક ફાર્મ)

  પાલાભાઈ ભીમાભાઈ શીર જે જીરો બજેટ ગાય આધારીત ખેતી કરે છે ( ભગીરથ પ્રાકૃતિક ફાર્મ). દાસેવ ધામ ઝારેરા ભાણવડ તાલુકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ના રહીશ. ઘણા સમય થી કેમિકલ યુક્ત ખેતી કરતાં આ ઉત્સાહી ખેડૂત ને યોગ્ય વળતર મળતું નહીં અને સતત મનોમંથન કરતાં તેમણે જીરો બજેટ ખેતી નો વિચાર આવીયો અને તેમણે તરત તેમનો અમલ કરી અત્યારે સારું એવું વળતર મેળવે છે. તેમજ કેમિકલ ફ્રી અને 100% ઓર્ગેનિક ખેતી કરી ને આ દેશના લોકો ને સારું કેમિકલ ફ્રી પોસટીક અન્ન આપવાના સતત પ્રયાસ કરે. પાલભાઇ પાક માં આવતા રોગ ને ગાય ના છાણ માથી બનાવેલ દ્રવ્ય માથી જીવજંતુ ને નાશ કરે તેમજ જીવામૂર્ત જેવા દ્રવ્ય થી સંપૂર્ણ કીટક નાશક દવા નો સટકાવ કરે. કોઈ પણ ખેડૂત ને જીરો બજેટ ખેતી ની માહિતી માટે પાલાભાઈ ના ફેસબુક પ્રોફાઇલ માં જઈને તેમનો સપર્ક કરી શકો અથવા તેમની વાડી ઝારેરા ગામ ભાણવડ તાલુકો દેવભૂમિ દ્વારકા જિલ્લા તેમના સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ શકો છો તેમજ પાલાભાઈ ને તમે ખેડૂત સમાયક માં તેમના આર્ટિક્લ ને રીડ કરો તેમજ નીચે આપેલ YouTube ચેનલ દ્વારા તેમના વિડિયો જોઈ શકશો. પાલાભાઈ નો ફોન નંબર & whatsapp : 99044882253 ફેસબુક

CHATGPT OPENAI ચેટજીટીપી એક મહત્વની તંત્રજ્ઞાન છે જે ઓપનએઆઈ દ્વારા તાલીમ પ્રાપ્ત કરેલ એક બહુમુખી ભાષા મોડલ છે.

  ચેટજીટીપી એક મહત્વની તંત્રજ્ઞાન છે જે ઓપનએઆઈ દ્વારા તાલીમ પ્રાપ્ત કરેલ એક બહુમુખી ભાષા મોડલ છે. ચેટજીટીપી સમગ્ર પ્રકારના પ્રશ્નો જવાબ આપી શકે છે અને એને ખુબ મહત્વની સાંસ્કૃતિક અને તાંત્રિક સફળતા છે. એને મહત્વાકાંક્ષી ઉપયોગકર્તાઓ માટે ખુબ ઉપયોગી બનાવટો છે જે બધા પ્રકારના વિષયો પર માહિતી આપી શકે છે. ચેટજીટીપી એક વિશાલ ભાષા મોડલ છે જે સારી તરીકે ટ્રેન કરી શકાય છે અને તેના વિસ્તૃત ઉપયોગકર્તાઓ દ્વારા અનેક ભાષાઓને સમર્થન આપવામાં આવી શકે છે. ચેટજીટીપી સાથે અને આપના કંપ્યુટર પર કેટલીક અન્ય ઉપકરણો સંચાલિત કરીને વ્યવહાર કરીને, આપ અને આપના સંબંધિત લોકો સંદર્ભો પર બાતચીત કરી શકો છો. ચેટજીટીપી વિશ્વના સૌથી મોટા ભાષા મોડલો છે જે સારી તરીકે ટ્રેન કરી શકાય છે અને તેના વિસ્તૃત ઉપયોગકર્તાઓ દ્વારા અનેક ભાષાઓને સમર્થન આપવામાં આવી શકે છે. ચેટજીટીપી કેવો છે? ચેટજીટીપી સિસ્ટમ ઓપનએઆઈ દ્વારા વિકસાયેલ હતો જે કે કંપ્યુટર સાથે બાતચીત કરવા માટે ઉપયોગ કરવા માંગે છે.