Skip to main content

શુ તમે ક્યારેય વાદળી કલર નુ આધાર કાર્ડ જોયુ?

Blue Aadhaar Card: આજના જમાનામાં આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ બની ગયો છે. મોટા ભાગના કામો માટે આજે આધાર કાર્ડ જરૂરી છે. જો કે તમે ક્યારેય આધાર કાર્ડના કલર પર ધ્યાન આપ્યું છે? સામાન્ય રીતે આધાર કાર્ડ બે પ્રકારના હોય છે. મોટાભાગના લોકોએ સફેદ પેપર પર કાળા કલરમાં છપાયેલ આધાર કાર્ડ જોયા હશે. પરંતુ જ્યારે આ આધાર કાર્ડ બાળકો માટે બનાવવામાં આવે છે ત્યારે તેનો કલર બદલી જાય છે.
UIDAI દ્વારા જ્યારે બાળકો માટે આધાર કાર્ડ જારી કરવામાં આવે છે ત્યારે તેનો કલર વાદળી હોય છે. વાદળી કલરના આ આધાર કાર્ડને બાલ આધાર પણ કહેવામાં આવે છે. UIDAIના જણાવ્યા પ્રમાણે નવજાત બાળકનું આધાર કાર્ડ બર્થ ડિસ્ચાર્જ સર્ટિફિકેટ અને માતા પિતાના આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, વાદળી રંગનું 12 અંકવાળું આધાર કાર્ડ 5 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવે છે. પાંચ વર્ષ બાદ તે અમાન્ચ થઈ જાય છે અને તેને ફરી અપડેટ કરવું પડે છે.

નિયમો અનુસાર નવજાત બાળકના આધારનો ઉપયોગ 5 વર્ષની ઉંમર સુધી થઈ શકે છે. 5 વર્ષ પછી અપડેટ કરવાનું રહેશે. જો તે અપડેટ ન કરવામાં આવે તો તે નિષ્ક્રિય થઈ જાય છે. 5 વર્ષ પછી, જ્યારે બાળક 15 વર્ષનું થાય, ત્યારે બાયોમેટ્રિક અપડેટ કરવું પડે છે. UIDAI અનુસાર, બાળકના 5 વર્ષ પૂરા થવા પર, તમારે તેનું બાયોમેટ્રિક અપડેટ કરાવવા માટે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડે છે. નવજાત બાળકની ફિંગર પ્રિન્ટ લેવામાં આવતી નથી. પરંતુ જ્યારે બાળક 5 વર્ષનું થાય છે ત્યારે આધારને અપડેટ કરવાનું રહે છે.

વાદળી આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા
આ માટે તમારા બાળકને તમારી સાથે નોંધણી કેન્દ્ર પર લઈ જાઓ. ત્યાં નોંધણી માટે ફોર્મ ભરો અને તેને સબમિટ કરાવો. દસ્તાવેજ તરીકે વાલીએ પોતાનું આધાર કાર્ડ આપવાનું રહેશે. તમને એક ફોન નંબર આપવા માટે કહેવામાં આવશે જેના હેઠળ વાદળી આધાર કાર્ડ આપવામાં આવશે. વાદળી આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી જરૂરી નથી, માત્ર એક ફોટો ક્લિક કરવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરીફાઈ થયા બાદ એક મેસેજ આવશે. વેરિફિકેશનના 60 દિવસની અંદર તમારા બાળકનું વાદળી આધાર કાર્ડ તૈયાર થઈ જશે

Source:ABP Asmita,Daily Hunt App

Comments

Popular posts from this blog

પહેલગામ આતંકી હુમલો: દેશને હચમચાવનાર ઘટના અને પીએમ મોદીની કડક કાર્યવાહી​

  22 એપ્રિલ, 2025ના રોજ, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં આવેલા બૈસરાન ઘાસમેદાનમાં થયેલા આતંકી હુમલામાં 28 પ્રવાસીઓના મોત થયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા. આ હુમલો છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ઘાતક માનવામાં આવે છે. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) એ લીધી છે. ​ Wikipedia  Credit 🛡️ પીએમ મોદીની તાત્કાલિક કાર્યવાહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાની યાત્રા ટૂંકાવીને તાત્કાલિક દિલ્હી પરત ફર્યા અને પલમ એરપોર્ટ પર જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. આ બેઠકમાં કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને સમગ્ર દેશની આતંક વિરોધી ક્ષમતાઓને તાત્કાલિક રીતે કાર્યરત કરવાનો આદેશ આપવામાં આવ્યો. ​ Sambad English  Credit 🚫 પાકિસ્તાન સામે કડક પગલાં હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાન સાથેના મુખ્ય જમીન સીમા બંધ કર્યા, ઇન્દુસ વોટર ટ્રિટીનો અમલ સ્થગિત કર્યો અને ઇસ્લામાબાદથી ભારતીય રાજદૂતને પાછા બો...

તમારા અમૂલ્ય યોગદાન માટે સમગ્ર સમાજની તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

પ્રિય દાતા શ્રી, તમારા અમૂલ્ય યોગદાન માટે સમગ્ર સમાજની તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. તમારા દાન દ્વારા સમાજના શૈક્ષણિક વિકાસ અને કન્યા છાત્રાલય માટેની કામગીરી વધુ સુસજ્જ બને છે. તમારું આ પ્રેરણાદાયી પગલું આપણું સમાજ અને ભવિષ્યના પેઢી માટે આદર્શ રૂપ છે. તમારા સહકાર અને વિશ્વાસ માટે ફરી એક વખત ખુબ ખુબ આભાર!  સગર સમાજ જો આ દાન માટે તમને કોઈ પાવતી અથવા વિગત જોઈએ, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.

“પાઘમાળા” The World Record ceremony પૂજ્ય સૂર્યવંશી ક્ષત્રિય સગર કૂલભૂષણ દાસારામ બાપાની પાઘડી અને માળા સગર સમાજ માટે ગૌરવની વાત છે.

પૂજ્ય સૂર્યવંશી ક્ષત્રિય સગર કૂલભૂષણ દાસારામ બાપાની પાઘડી અને માળા સગર સમાજ માટે ગૌરવની વાત છે , પાઘમાળાનો આ અમુલ્ય વારસો અનંત કાળ સુધી જળવાઈ રહે એ સગરના દિકરા તરીકે આપણાં સૌની ફરજ છે.   દાસારામ બાપા પ્રત્યેની આપણી શ્રધ્ધા અને ભક્તિ-ભાવ વધે , આવનાર પેઢીમાં બાપાના વિચારો જીવંત રહે , સગર સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેમજ આપણાં સૌના પરિવારો પર દાસારામ બાપા અને ભગીરથ દાદાની અસીમ કૃપા સદાને માટે રહે તેવા ઉમદા હેતુથી ઝારેરા મુકામે દાસારામ બાપાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અભિમંત્રિત થયેલી પાઘડી , માળા , ક્ષત્રિય સગર સૂર્યવંશ નો લોગો   તેમજ આપણી વંશાવળીને આવરી લેતો *શ્રી દાસારામ બાપાનો ઐતિહાસિક વંશીય ફોટો "પ્રસાદી" તરીકે આપવાનું નક્કી કર્યું છે. જે લોકોને બાપાની "પાઘમાળા"ની આ પ્રસાદી લેવાની ઈચ્છા હોય , તેમણે નીચે આપેલા આપણાં ભાઈઓનો સંપર્ક કરી માહિતી મેળવી લેવા વિનંતી.   ખાસ નોંધ : આયોજનના ભાગરૂપે "પાઘમાળા"ની પ્રસાદી લેવા ઈચ્છતા ભાઈ-બહેનોએ તા. ૨૮/૦૪/૨૦૨૨ સુધીમાં પોતના નામ રજિસ્ટર કરાવી દેવા , રજિસ્ટર થયેલા લોકો જ પ્રસાદીના હક્કદાર બનશે. તા.૨૮/૦૪/૨૦૨...