Skip to main content

શુ તમે ક્યારેય વાદળી કલર નુ આધાર કાર્ડ જોયુ?

Blue Aadhaar Card: આજના જમાનામાં આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ બની ગયો છે. મોટા ભાગના કામો માટે આજે આધાર કાર્ડ જરૂરી છે. જો કે તમે ક્યારેય આધાર કાર્ડના કલર પર ધ્યાન આપ્યું છે? સામાન્ય રીતે આધાર કાર્ડ બે પ્રકારના હોય છે. મોટાભાગના લોકોએ સફેદ પેપર પર કાળા કલરમાં છપાયેલ આધાર કાર્ડ જોયા હશે. પરંતુ જ્યારે આ આધાર કાર્ડ બાળકો માટે બનાવવામાં આવે છે ત્યારે તેનો કલર બદલી જાય છે.
UIDAI દ્વારા જ્યારે બાળકો માટે આધાર કાર્ડ જારી કરવામાં આવે છે ત્યારે તેનો કલર વાદળી હોય છે. વાદળી કલરના આ આધાર કાર્ડને બાલ આધાર પણ કહેવામાં આવે છે. UIDAIના જણાવ્યા પ્રમાણે નવજાત બાળકનું આધાર કાર્ડ બર્થ ડિસ્ચાર્જ સર્ટિફિકેટ અને માતા પિતાના આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, વાદળી રંગનું 12 અંકવાળું આધાર કાર્ડ 5 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવે છે. પાંચ વર્ષ બાદ તે અમાન્ચ થઈ જાય છે અને તેને ફરી અપડેટ કરવું પડે છે.

નિયમો અનુસાર નવજાત બાળકના આધારનો ઉપયોગ 5 વર્ષની ઉંમર સુધી થઈ શકે છે. 5 વર્ષ પછી અપડેટ કરવાનું રહેશે. જો તે અપડેટ ન કરવામાં આવે તો તે નિષ્ક્રિય થઈ જાય છે. 5 વર્ષ પછી, જ્યારે બાળક 15 વર્ષનું થાય, ત્યારે બાયોમેટ્રિક અપડેટ કરવું પડે છે. UIDAI અનુસાર, બાળકના 5 વર્ષ પૂરા થવા પર, તમારે તેનું બાયોમેટ્રિક અપડેટ કરાવવા માટે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડે છે. નવજાત બાળકની ફિંગર પ્રિન્ટ લેવામાં આવતી નથી. પરંતુ જ્યારે બાળક 5 વર્ષનું થાય છે ત્યારે આધારને અપડેટ કરવાનું રહે છે.

વાદળી આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા
આ માટે તમારા બાળકને તમારી સાથે નોંધણી કેન્દ્ર પર લઈ જાઓ. ત્યાં નોંધણી માટે ફોર્મ ભરો અને તેને સબમિટ કરાવો. દસ્તાવેજ તરીકે વાલીએ પોતાનું આધાર કાર્ડ આપવાનું રહેશે. તમને એક ફોન નંબર આપવા માટે કહેવામાં આવશે જેના હેઠળ વાદળી આધાર કાર્ડ આપવામાં આવશે. વાદળી આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી જરૂરી નથી, માત્ર એક ફોટો ક્લિક કરવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરીફાઈ થયા બાદ એક મેસેજ આવશે. વેરિફિકેશનના 60 દિવસની અંદર તમારા બાળકનું વાદળી આધાર કાર્ડ તૈયાર થઈ જશે

Source:ABP Asmita,Daily Hunt App

Comments

Popular posts from this blog

પહેલગામ આતંકી હુમલો: દેશને હચમચાવનાર ઘટના અને પીએમ મોદીની કડક કાર્યવાહી​

  22 એપ્રિલ, 2025ના રોજ, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં આવેલા બૈસરાન ઘાસમેદાનમાં થયેલા આતંકી હુમલામાં 28 પ્રવાસીઓના મોત થયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા. આ હુમલો છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ઘાતક માનવામાં આવે છે. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) એ લીધી છે. ​ Wikipedia  Credit 🛡️ પીએમ મોદીની તાત્કાલિક કાર્યવાહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાની યાત્રા ટૂંકાવીને તાત્કાલિક દિલ્હી પરત ફર્યા અને પલમ એરપોર્ટ પર જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. આ બેઠકમાં કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને સમગ્ર દેશની આતંક વિરોધી ક્ષમતાઓને તાત્કાલિક રીતે કાર્યરત કરવાનો આદેશ આપવામાં આવ્યો. ​ Sambad English  Credit 🚫 પાકિસ્તાન સામે કડક પગલાં હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાન સાથેના મુખ્ય જમીન સીમા બંધ કર્યા, ઇન્દુસ વોટર ટ્રિટીનો અમલ સ્થગિત કર્યો અને ઇસ્લામાબાદથી ભારતીય રાજદૂતને પાછા બો...

સૌરાષ્ટ્રના સંતોમાં આજથી 384 વર્ષ પહેલા જન્મેલા એક મહાન સંતે પોતાના 109 વર્ષના જીવનકાળમાં*આ મહાન સંતે તત્કાલીન સમાજમાં ફેલાયેલા છુતા-છુત, (અસ્પ્રુશ્યતા નિવારણ) માંસાહાર.ચોરી-લુટ અને ઘરેલૂ હિન્સા જેવા અનેક દુષણો દૂર કરવામાં તેમજ સામાજિક ઐક્ય માટે કેવી રીતે પોતાનું જીવન ખર્ચી નાખ્યું તે જોઇએ!*

*જય ભગીરથ જય દાસારામ જય માં ગંગા* 🙏🏽સૌરાષ્ટ્રના સંતોમાં આજથી 384 વર્ષ પહેલા જન્મેલા એક મહાન સંતે પોતાના 109 વર્ષના જીવનકાળમાં *આ મહાન સંતે તત્કાલીન સમાજમાં ફેલાયેલા છુતા-છુત, (અસ્પ્રુશ્યતા નિવારણ) માંસાહાર.ચોરી-લુટ અને ઘરેલૂ હિન્સા જેવા અનેક દુષણો દૂર કરવામાં તેમજ સામાજિક ઐક્ય માટે કેવી રીતે પોતાનું જીવન ખર્ચી નાખ્યું તે જોઇએ!* Credit to (@All copyright reserved _written By✒️Raj Sagar ) 🤝🏼👉🏽ચાલો આજે સંક્ષિપ્તમાં *મહાન ભક્ત શ્રી દાસારામ બાપાનુ જીવન ચરિત્ર જોઈએ*.🙏  👉🏽 *જન્મ અને બાળપણ* 16 થી 17 મી સદીનો સમયગાળો જ્યારે ભારત વર્ષના અડધાથી પોણા ભાગ પર #મોગલ_સામ્રાજ્ય અને ઇસ્લામી રાજાઓ રાજ કરતાં,ગુજરાતમાં પણ ઈસ્લામિક રાજ હતું. 👉🏽ત્યારે સોરઠ પ્રદેશમાં બાલાગામ નામે એક ગામ જ્યાં સગર વીરા ભગત અને હેમીબાઈ નામના દંપતી રહે. ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા દંપતી ખૂબ જ ધાર્મિક અને સેવા પરાયણ જીવન જીવતા,વાણી વર્તન વિચાર જેટલા ધર્મમા લિન એટલુ જ બાહ્ય જીવન સુંદર અને પવિત્ર, #માનવ_સેવા_એજ_પ્રભુ_સેવા જેવા સિદ્ધાંતને ઓળખીને હંમેશની જેમ ગિરનાર પવિત્ર ક્ષેત્રમાં પરોપકારથી નીકળત...

આજે 'ગુજરાત ગૌરવ દિવસ' નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ પાટણ ખાતે 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આજે 'ગુજરાત ગૌરવ દિવસ' નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ પાટણ ખાતે 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સમગ્ર સેન્ટરની તમામ ગેલેરીઓને અત્યંત રસપૂર્વક નિહાળી હતી. સાથે સાથે બાળકો સાથે ફાઈવ- ડી થિયેટરની ગતિવિધિ પણ નિહાળી હતી. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાએ સમગ્ર કેન્દ્રની મુખ્યમંત્રીને જાણકારી આપી હતી. આ પ્રસંગે શિક્ષણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતુ વાઘાણી તથા સહકાર અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેન્દ્ર વિજ્ઞાનના પ્રચાર - પ્રસાર, તકનિકી જાગૃતિ, સ્ટેમને લોકપ્રિય બનાવવા માટે વિધાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય જનતા માટે એક મહત્વનું સ્થળ બની રહેશે. એટલું જ નહીં, 34 હજાર ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું અને અંદાજે રૂપિયા 100 કરોડના ખર્ચે તૈયાર થયેલું 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'ની રચના વિજ્ઞાન ટેકનોલોજી અને ગણિતના ક્ષેત્રને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે. તેમજ અહીં આવેલ ગેલેરીઓ પાટણ જીલ્લાની વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આ...