Skip to main content

ગુજરાતી ફિલ્મ 'નાયિકા દેવી' નું બોલીવુડને પણ ટક્કર મારે તેવું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, જાણો કોણ હતા રાણી નાયિકા દેવી?

 




અત્યાર સુધી મહારાણી લક્ષ્‍મીબાઈનું નામ તો બધાએ સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે ભારતનાં સર્વપ્રથમ યોદ્ધા રાણી કોણ હતા. 12મી સદીમાં પાટણનાં મહારાણી નાયિકા દેવી ભારતનાં સર્વપ્રથમ રાણી હતા, જે યુદ્ધકળામાં પણ પારંગત હતા, જેમણે મોહમ્મદ ઘોરીને યુદ્ધમાં ધૂળ ચટાવી હતી. હવે ઇતિહાસ માં પ્રથમ વખત અણહિલવાડ પાટણ પર બૉલીવુડને પણ ટક્કર આપે એવી ફિલ્મ નાયિકાદેવી ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રઈ છે.

ફિલ્મને લઈને આજે એક કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ફિલ્મના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને ફિલ્મ વિશે વાત કરી હતી.. મહત્વનું છે કે આ ફિલ્મમાં જાણીતા બોલિવુડ કલાકાર ચંકી પાંડે પણ અભિનય કરી રહ્યા છે.


ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન એક ઈતિહાસ પર આધારિત ફિલ્મ છે. આ 12મી સદીની કથા છે. આ ફિલ્મ ભારતની પ્રથમ યોદ્ધા રાણી નાયિકા દેવીનાં જીવનની ઝલક બતાવશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે. રૂંવાડા ઉભા થઇ જાય એવા ટ્રેલરને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મ 6 મે 2022નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.


કોણ હતા રાણી નાયિકા દેવી?

મહારાણી લક્ષ્‍મીબાઈનું નામ તો બધાએ સાંભળ્યું હશે પરંતુ ચાલુક્ય વંશનાં મહારાણી નાયિકા દેવીએ પાટણ પર વર્ષો સુધી રાજ કર્યું હતું. તેમણે વર્ષ 1178માં થયેલ યુદ્ધમાં મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો. મોહમ્મદ ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે હરાવ્યો એ પહેલા પાટણનાં બહાદૂર મહારાણી નાયિકા દેવીએ તેને ધૂળ ચટાડી હતી. નાયિકા દેવી કદમ એટલે કે આજના ગોવાના મહામંડલેશ્વર પરમાનીનાં પુત્રી હતા.


નાયિકા દેવીનાં પતિ અજયપાલ સિંહની એમના જ અંગરક્ષકોએ હત્યા કરી હતી. ત્યારે એક પુત્રનાં માતા નાયિકા દેવી પર પાટણનું રાજ સંભાળવાની જવાબદારી આવી પડી. તેઓ યુદ્ધકળામાં પણ પારંગત હતાં. એક વિધવા રાણી પોતાનો શું સામનો કરી શકશે એમ ધારી મોહમ્મદ ઘોરી પોતાના સૈન્ય સાથે ગુજરાત પર ધસી આવ્યો હતો.


આબુ નજીકના સ્થળે થયેલા યુદ્ધમાં નાયિકા દેવીની આગેવાની હેઠળનાં લશ્કરે ઘોરીને હરાવ્યો હતો. ઘોરી ખરાબ રીતે ઘાયલ થઈને હાર્યો હતો. તે પછી ઘોરીએ 11 વર્ષ સુધી ભારત પર ચઢાઈ કરવાની હિંમત કરી શક્યો નહોતો.



Comments

Popular posts from this blog

પહેલગામ આતંકી હુમલો: દેશને હચમચાવનાર ઘટના અને પીએમ મોદીની કડક કાર્યવાહી​

  22 એપ્રિલ, 2025ના રોજ, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં આવેલા બૈસરાન ઘાસમેદાનમાં થયેલા આતંકી હુમલામાં 28 પ્રવાસીઓના મોત થયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા. આ હુમલો છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ઘાતક માનવામાં આવે છે. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) એ લીધી છે. ​ Wikipedia  Credit 🛡️ પીએમ મોદીની તાત્કાલિક કાર્યવાહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાની યાત્રા ટૂંકાવીને તાત્કાલિક દિલ્હી પરત ફર્યા અને પલમ એરપોર્ટ પર જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. આ બેઠકમાં કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને સમગ્ર દેશની આતંક વિરોધી ક્ષમતાઓને તાત્કાલિક રીતે કાર્યરત કરવાનો આદેશ આપવામાં આવ્યો. ​ Sambad English  Credit 🚫 પાકિસ્તાન સામે કડક પગલાં હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાન સાથેના મુખ્ય જમીન સીમા બંધ કર્યા, ઇન્દુસ વોટર ટ્રિટીનો અમલ સ્થગિત કર્યો અને ઇસ્લામાબાદથી ભારતીય રાજદૂતને પાછા બો...

સૌરાષ્ટ્રના સંતોમાં આજથી 384 વર્ષ પહેલા જન્મેલા એક મહાન સંતે પોતાના 109 વર્ષના જીવનકાળમાં*આ મહાન સંતે તત્કાલીન સમાજમાં ફેલાયેલા છુતા-છુત, (અસ્પ્રુશ્યતા નિવારણ) માંસાહાર.ચોરી-લુટ અને ઘરેલૂ હિન્સા જેવા અનેક દુષણો દૂર કરવામાં તેમજ સામાજિક ઐક્ય માટે કેવી રીતે પોતાનું જીવન ખર્ચી નાખ્યું તે જોઇએ!*

*જય ભગીરથ જય દાસારામ જય માં ગંગા* 🙏🏽સૌરાષ્ટ્રના સંતોમાં આજથી 384 વર્ષ પહેલા જન્મેલા એક મહાન સંતે પોતાના 109 વર્ષના જીવનકાળમાં *આ મહાન સંતે તત્કાલીન સમાજમાં ફેલાયેલા છુતા-છુત, (અસ્પ્રુશ્યતા નિવારણ) માંસાહાર.ચોરી-લુટ અને ઘરેલૂ હિન્સા જેવા અનેક દુષણો દૂર કરવામાં તેમજ સામાજિક ઐક્ય માટે કેવી રીતે પોતાનું જીવન ખર્ચી નાખ્યું તે જોઇએ!* Credit to (@All copyright reserved _written By✒️Raj Sagar ) 🤝🏼👉🏽ચાલો આજે સંક્ષિપ્તમાં *મહાન ભક્ત શ્રી દાસારામ બાપાનુ જીવન ચરિત્ર જોઈએ*.🙏  👉🏽 *જન્મ અને બાળપણ* 16 થી 17 મી સદીનો સમયગાળો જ્યારે ભારત વર્ષના અડધાથી પોણા ભાગ પર #મોગલ_સામ્રાજ્ય અને ઇસ્લામી રાજાઓ રાજ કરતાં,ગુજરાતમાં પણ ઈસ્લામિક રાજ હતું. 👉🏽ત્યારે સોરઠ પ્રદેશમાં બાલાગામ નામે એક ગામ જ્યાં સગર વીરા ભગત અને હેમીબાઈ નામના દંપતી રહે. ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા દંપતી ખૂબ જ ધાર્મિક અને સેવા પરાયણ જીવન જીવતા,વાણી વર્તન વિચાર જેટલા ધર્મમા લિન એટલુ જ બાહ્ય જીવન સુંદર અને પવિત્ર, #માનવ_સેવા_એજ_પ્રભુ_સેવા જેવા સિદ્ધાંતને ઓળખીને હંમેશની જેમ ગિરનાર પવિત્ર ક્ષેત્રમાં પરોપકારથી નીકળત...

આજે 'ગુજરાત ગૌરવ દિવસ' નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ પાટણ ખાતે 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આજે 'ગુજરાત ગૌરવ દિવસ' નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ પાટણ ખાતે 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સમગ્ર સેન્ટરની તમામ ગેલેરીઓને અત્યંત રસપૂર્વક નિહાળી હતી. સાથે સાથે બાળકો સાથે ફાઈવ- ડી થિયેટરની ગતિવિધિ પણ નિહાળી હતી. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાએ સમગ્ર કેન્દ્રની મુખ્યમંત્રીને જાણકારી આપી હતી. આ પ્રસંગે શિક્ષણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતુ વાઘાણી તથા સહકાર અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેન્દ્ર વિજ્ઞાનના પ્રચાર - પ્રસાર, તકનિકી જાગૃતિ, સ્ટેમને લોકપ્રિય બનાવવા માટે વિધાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય જનતા માટે એક મહત્વનું સ્થળ બની રહેશે. એટલું જ નહીં, 34 હજાર ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું અને અંદાજે રૂપિયા 100 કરોડના ખર્ચે તૈયાર થયેલું 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'ની રચના વિજ્ઞાન ટેકનોલોજી અને ગણિતના ક્ષેત્રને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે. તેમજ અહીં આવેલ ગેલેરીઓ પાટણ જીલ્લાની વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આ...