Skip to main content

ગુજરાતી ફિલ્મ 'નાયિકા દેવી' નું બોલીવુડને પણ ટક્કર મારે તેવું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, જાણો કોણ હતા રાણી નાયિકા દેવી?

 




અત્યાર સુધી મહારાણી લક્ષ્‍મીબાઈનું નામ તો બધાએ સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે ભારતનાં સર્વપ્રથમ યોદ્ધા રાણી કોણ હતા. 12મી સદીમાં પાટણનાં મહારાણી નાયિકા દેવી ભારતનાં સર્વપ્રથમ રાણી હતા, જે યુદ્ધકળામાં પણ પારંગત હતા, જેમણે મોહમ્મદ ઘોરીને યુદ્ધમાં ધૂળ ચટાવી હતી. હવે ઇતિહાસ માં પ્રથમ વખત અણહિલવાડ પાટણ પર બૉલીવુડને પણ ટક્કર આપે એવી ફિલ્મ નાયિકાદેવી ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રઈ છે.

ફિલ્મને લઈને આજે એક કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ફિલ્મના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને ફિલ્મ વિશે વાત કરી હતી.. મહત્વનું છે કે આ ફિલ્મમાં જાણીતા બોલિવુડ કલાકાર ચંકી પાંડે પણ અભિનય કરી રહ્યા છે.


ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન એક ઈતિહાસ પર આધારિત ફિલ્મ છે. આ 12મી સદીની કથા છે. આ ફિલ્મ ભારતની પ્રથમ યોદ્ધા રાણી નાયિકા દેવીનાં જીવનની ઝલક બતાવશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે. રૂંવાડા ઉભા થઇ જાય એવા ટ્રેલરને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મ 6 મે 2022નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.


કોણ હતા રાણી નાયિકા દેવી?

મહારાણી લક્ષ્‍મીબાઈનું નામ તો બધાએ સાંભળ્યું હશે પરંતુ ચાલુક્ય વંશનાં મહારાણી નાયિકા દેવીએ પાટણ પર વર્ષો સુધી રાજ કર્યું હતું. તેમણે વર્ષ 1178માં થયેલ યુદ્ધમાં મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો. મોહમ્મદ ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે હરાવ્યો એ પહેલા પાટણનાં બહાદૂર મહારાણી નાયિકા દેવીએ તેને ધૂળ ચટાડી હતી. નાયિકા દેવી કદમ એટલે કે આજના ગોવાના મહામંડલેશ્વર પરમાનીનાં પુત્રી હતા.


નાયિકા દેવીનાં પતિ અજયપાલ સિંહની એમના જ અંગરક્ષકોએ હત્યા કરી હતી. ત્યારે એક પુત્રનાં માતા નાયિકા દેવી પર પાટણનું રાજ સંભાળવાની જવાબદારી આવી પડી. તેઓ યુદ્ધકળામાં પણ પારંગત હતાં. એક વિધવા રાણી પોતાનો શું સામનો કરી શકશે એમ ધારી મોહમ્મદ ઘોરી પોતાના સૈન્ય સાથે ગુજરાત પર ધસી આવ્યો હતો.


આબુ નજીકના સ્થળે થયેલા યુદ્ધમાં નાયિકા દેવીની આગેવાની હેઠળનાં લશ્કરે ઘોરીને હરાવ્યો હતો. ઘોરી ખરાબ રીતે ઘાયલ થઈને હાર્યો હતો. તે પછી ઘોરીએ 11 વર્ષ સુધી ભારત પર ચઢાઈ કરવાની હિંમત કરી શક્યો નહોતો.



Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્રના સંતોમાં આજથી 384 વર્ષ પહેલા જન્મેલા એક મહાન સંતે પોતાના 109 વર્ષના જીવનકાળમાં*આ મહાન સંતે તત્કાલીન સમાજમાં ફેલાયેલા છુતા-છુત, (અસ્પ્રુશ્યતા નિવારણ) માંસાહાર.ચોરી-લુટ અને ઘરેલૂ હિન્સા જેવા અનેક દુષણો દૂર કરવામાં તેમજ સામાજિક ઐક્ય માટે કેવી રીતે પોતાનું જીવન ખર્ચી નાખ્યું તે જોઇએ!*

*જય ભગીરથ જય દાસારામ જય માં ગંગા* 🙏🏽સૌરાષ્ટ્રના સંતોમાં આજથી 384 વર્ષ પહેલા જન્મેલા એક મહાન સંતે પોતાના 109 વર્ષના જીવનકાળમાં *આ મહાન સંતે તત્કાલીન સમાજમાં ફેલાયેલા છુતા-છુત, (અસ્પ્રુશ્યતા નિવારણ) માંસાહાર.ચોરી-લુટ અને ઘરેલૂ હિન્સા જેવા અનેક દુષણો દૂર કરવામાં તેમજ સામાજિક ઐક્ય માટે કેવી રીતે પોતાનું જીવન ખર્ચી નાખ્યું તે જોઇએ!* Credit to (@All copyright reserved _written By✒️Raj Sagar ) 🤝🏼👉🏽ચાલો આજે સંક્ષિપ્તમાં *મહાન ભક્ત શ્રી દાસારામ બાપાનુ જીવન ચરિત્ર જોઈએ*.🙏  👉🏽 *જન્મ અને બાળપણ* 16 થી 17 મી સદીનો સમયગાળો જ્યારે ભારત વર્ષના અડધાથી પોણા ભાગ પર #મોગલ_સામ્રાજ્ય અને ઇસ્લામી રાજાઓ રાજ કરતાં,ગુજરાતમાં પણ ઈસ્લામિક રાજ હતું. 👉🏽ત્યારે સોરઠ પ્રદેશમાં બાલાગામ નામે એક ગામ જ્યાં સગર વીરા ભગત અને હેમીબાઈ નામના દંપતી રહે. ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા દંપતી ખૂબ જ ધાર્મિક અને સેવા પરાયણ જીવન જીવતા,વાણી વર્તન વિચાર જેટલા ધર્મમા લિન એટલુ જ બાહ્ય જીવન સુંદર અને પવિત્ર, #માનવ_સેવા_એજ_પ્રભુ_સેવા જેવા સિદ્ધાંતને ઓળખીને હંમેશની જેમ ગિરનાર પવિત્ર ક્ષેત્રમાં પરોપકારથી નીકળતા.

પાલાભાઈ ભીમાભાઈ શીર જે જીરો બજેટ ગાય આધારીત ખેતી કરે છે ( જય ભગીરથ પ્રાકૃતિક ફાર્મ)

  પાલાભાઈ ભીમાભાઈ શીર જે જીરો બજેટ ગાય આધારીત ખેતી કરે છે ( ભગીરથ પ્રાકૃતિક ફાર્મ). દાસેવ ધામ ઝારેરા ભાણવડ તાલુકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ના રહીશ. ઘણા સમય થી કેમિકલ યુક્ત ખેતી કરતાં આ ઉત્સાહી ખેડૂત ને યોગ્ય વળતર મળતું નહીં અને સતત મનોમંથન કરતાં તેમણે જીરો બજેટ ખેતી નો વિચાર આવીયો અને તેમણે તરત તેમનો અમલ કરી અત્યારે સારું એવું વળતર મેળવે છે. તેમજ કેમિકલ ફ્રી અને 100% ઓર્ગેનિક ખેતી કરી ને આ દેશના લોકો ને સારું કેમિકલ ફ્રી પોસટીક અન્ન આપવાના સતત પ્રયાસ કરે. પાલભાઇ પાક માં આવતા રોગ ને ગાય ના છાણ માથી બનાવેલ દ્રવ્ય માથી જીવજંતુ ને નાશ કરે તેમજ જીવામૂર્ત જેવા દ્રવ્ય થી સંપૂર્ણ કીટક નાશક દવા નો સટકાવ કરે. કોઈ પણ ખેડૂત ને જીરો બજેટ ખેતી ની માહિતી માટે પાલાભાઈ ના ફેસબુક પ્રોફાઇલ માં જઈને તેમનો સપર્ક કરી શકો અથવા તેમની વાડી ઝારેરા ગામ ભાણવડ તાલુકો દેવભૂમિ દ્વારકા જિલ્લા તેમના સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ શકો છો તેમજ પાલાભાઈ ને તમે ખેડૂત સમાયક માં તેમના આર્ટિક્લ ને રીડ કરો તેમજ નીચે આપેલ YouTube ચેનલ દ્વારા તેમના વિડિયો જોઈ શકશો. પાલાભાઈ નો ફોન નંબર & whatsapp : 99044882253 ફેસબુક

CHATGPT OPENAI ચેટજીટીપી એક મહત્વની તંત્રજ્ઞાન છે જે ઓપનએઆઈ દ્વારા તાલીમ પ્રાપ્ત કરેલ એક બહુમુખી ભાષા મોડલ છે.

  ચેટજીટીપી એક મહત્વની તંત્રજ્ઞાન છે જે ઓપનએઆઈ દ્વારા તાલીમ પ્રાપ્ત કરેલ એક બહુમુખી ભાષા મોડલ છે. ચેટજીટીપી સમગ્ર પ્રકારના પ્રશ્નો જવાબ આપી શકે છે અને એને ખુબ મહત્વની સાંસ્કૃતિક અને તાંત્રિક સફળતા છે. એને મહત્વાકાંક્ષી ઉપયોગકર્તાઓ માટે ખુબ ઉપયોગી બનાવટો છે જે બધા પ્રકારના વિષયો પર માહિતી આપી શકે છે. ચેટજીટીપી એક વિશાલ ભાષા મોડલ છે જે સારી તરીકે ટ્રેન કરી શકાય છે અને તેના વિસ્તૃત ઉપયોગકર્તાઓ દ્વારા અનેક ભાષાઓને સમર્થન આપવામાં આવી શકે છે. ચેટજીટીપી સાથે અને આપના કંપ્યુટર પર કેટલીક અન્ય ઉપકરણો સંચાલિત કરીને વ્યવહાર કરીને, આપ અને આપના સંબંધિત લોકો સંદર્ભો પર બાતચીત કરી શકો છો. ચેટજીટીપી વિશ્વના સૌથી મોટા ભાષા મોડલો છે જે સારી તરીકે ટ્રેન કરી શકાય છે અને તેના વિસ્તૃત ઉપયોગકર્તાઓ દ્વારા અનેક ભાષાઓને સમર્થન આપવામાં આવી શકે છે. ચેટજીટીપી કેવો છે? ચેટજીટીપી સિસ્ટમ ઓપનએઆઈ દ્વારા વિકસાયેલ હતો જે કે કંપ્યુટર સાથે બાતચીત કરવા માટે ઉપયોગ કરવા માંગે છે.