Skip to main content

ભારતમાં ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના યુગનો પ્રારંભ થયો છે- વડા પ્રધાન નરેન્દ્ર મોદી

 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિન સંકુલનું જામનગર ખાતે ભૂમિપૂજન કરીને કહ્યું હતું કે આયુર્વેદને જીવનના જ્ઞાનના રૂપે સમજાય છે ત્યારે આ સેન્ટર 'વસુદેવ કુટુમ્બકમ, સર્વે સન્તુ નિરામયા'ની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારું કેન્દ્ર બની રહેશે.


દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જામનગરમાં મૉરિશ્યસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ અને ડબ્લ્યુએચઓના વડા ડૉ.ટેડ્રોસ ઘેબ્રેયસસ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વના સૌપ્રથમ જીસીટીએમનું ભૂમિપૂજન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જેટલી પ્રતિષ્ઠા ચાર વેદોની છે એમ ચાર વેદોની જેમ આયુર્વેદને પાંચમો વેદ કહેવામાં આવે છે. આજે આધુનિક દુનિયાની જે લાઇફસ્ટાઇલ છે, નવી-નવી બીમારીઓ જોઈ રહ્યા છીએ એને પાર પાડવા માટે ટ્રેડિશનલ નૉલેજ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. સારી હેલ્થનો સીધો સંબંધ બૅલૅન્સ ડાયટથી છે. ભારતીય જીવનપ્રણાલી આયુર્વેદના માધ્યમથી સંતુલિત આહાર, શરીર- મનનું સંતુલન તેમ જ યોગ પ્રાણાયમયુક્ત દિનચર્યાને પ્રાધાન્ય આપે છે. ૧૦૦ વર્ષના આયુષ્યની કામના આપણે ત્યાં સહજ છે. ભારતનું આ જ્ઞાન અહીં પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓના વિકાસમાં મોટો ફાળો આપશે. આજથી પાંચ દશકા પહેલાં વિશ્વની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના જામનગરમાં થઈ હતી. કોરોનાકાળમાં હેલ્થકૅર ડિલિવરી માટે નવા આયામોની આવશ્યકતા દુનિયાને સમજાઈ છે ત્યારે જામનગર ખાતેનું આ ગ્લોબલ સેન્ટર 'વસુદેવ કુટુમ્બકમ, સર્વે સન્તુ નિરામયા'ની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારું કેન્દ્ર બની રહેશે.

નરેન્દ્ર મોદીએ આ તબક્કે કહ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ભારતમાં ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના યુગનો પ્રારંભ થયો છે. આ માત્ર ભવનનો શિલાન્યાસ નથી, પરંતુ પ્રાકૃતિક પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓમાં વિશ્વાસ રાખનારા લોકો માટેના આગવા કેન્દ્રની શરૂઆત છે. એ દુનિયાને અલ્ટરનેટ મેડિકલ સૉલ્યુશન આપવામાં મદદરૂપ થશે.

તેઓએ વધુમાં કહ્યું હતું કે આ ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનામાં વિશ્વ આરોગ્ય સંગઠન અને ભારત સરકારના આયુષ મંત્રાલયની ભાગીદારી માનવતાની સેવાની જવાબદારી નિભાવવા માટેની છે. આવનારાં પચીસ વર્ષમાં ટ્રેડિશનલ મેડિસિન દુનિયાના દરેક પરિવારો માટે મહત્ત્વની બની જશે.

આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાનો સર્વાનંદ સોનોવાલ, મનસુખ માંડવિયા અને મહેન્દ્ર મુંજપરા સહિત વિવિધ દેશોના પ્રતિનિધિઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

Comments

Popular posts from this blog

પહેલગામ આતંકી હુમલો: દેશને હચમચાવનાર ઘટના અને પીએમ મોદીની કડક કાર્યવાહી​

  22 એપ્રિલ, 2025ના રોજ, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં આવેલા બૈસરાન ઘાસમેદાનમાં થયેલા આતંકી હુમલામાં 28 પ્રવાસીઓના મોત થયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા. આ હુમલો છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ઘાતક માનવામાં આવે છે. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) એ લીધી છે. ​ Wikipedia  Credit 🛡️ પીએમ મોદીની તાત્કાલિક કાર્યવાહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાની યાત્રા ટૂંકાવીને તાત્કાલિક દિલ્હી પરત ફર્યા અને પલમ એરપોર્ટ પર જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. આ બેઠકમાં કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને સમગ્ર દેશની આતંક વિરોધી ક્ષમતાઓને તાત્કાલિક રીતે કાર્યરત કરવાનો આદેશ આપવામાં આવ્યો. ​ Sambad English  Credit 🚫 પાકિસ્તાન સામે કડક પગલાં હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાન સાથેના મુખ્ય જમીન સીમા બંધ કર્યા, ઇન્દુસ વોટર ટ્રિટીનો અમલ સ્થગિત કર્યો અને ઇસ્લામાબાદથી ભારતીય રાજદૂતને પાછા બો...

તમારા અમૂલ્ય યોગદાન માટે સમગ્ર સમાજની તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

પ્રિય દાતા શ્રી, તમારા અમૂલ્ય યોગદાન માટે સમગ્ર સમાજની તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. તમારા દાન દ્વારા સમાજના શૈક્ષણિક વિકાસ અને કન્યા છાત્રાલય માટેની કામગીરી વધુ સુસજ્જ બને છે. તમારું આ પ્રેરણાદાયી પગલું આપણું સમાજ અને ભવિષ્યના પેઢી માટે આદર્શ રૂપ છે. તમારા સહકાર અને વિશ્વાસ માટે ફરી એક વખત ખુબ ખુબ આભાર!  સગર સમાજ જો આ દાન માટે તમને કોઈ પાવતી અથવા વિગત જોઈએ, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.

“પાઘમાળા” The World Record ceremony પૂજ્ય સૂર્યવંશી ક્ષત્રિય સગર કૂલભૂષણ દાસારામ બાપાની પાઘડી અને માળા સગર સમાજ માટે ગૌરવની વાત છે.

પૂજ્ય સૂર્યવંશી ક્ષત્રિય સગર કૂલભૂષણ દાસારામ બાપાની પાઘડી અને માળા સગર સમાજ માટે ગૌરવની વાત છે , પાઘમાળાનો આ અમુલ્ય વારસો અનંત કાળ સુધી જળવાઈ રહે એ સગરના દિકરા તરીકે આપણાં સૌની ફરજ છે.   દાસારામ બાપા પ્રત્યેની આપણી શ્રધ્ધા અને ભક્તિ-ભાવ વધે , આવનાર પેઢીમાં બાપાના વિચારો જીવંત રહે , સગર સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેમજ આપણાં સૌના પરિવારો પર દાસારામ બાપા અને ભગીરથ દાદાની અસીમ કૃપા સદાને માટે રહે તેવા ઉમદા હેતુથી ઝારેરા મુકામે દાસારામ બાપાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અભિમંત્રિત થયેલી પાઘડી , માળા , ક્ષત્રિય સગર સૂર્યવંશ નો લોગો   તેમજ આપણી વંશાવળીને આવરી લેતો *શ્રી દાસારામ બાપાનો ઐતિહાસિક વંશીય ફોટો "પ્રસાદી" તરીકે આપવાનું નક્કી કર્યું છે. જે લોકોને બાપાની "પાઘમાળા"ની આ પ્રસાદી લેવાની ઈચ્છા હોય , તેમણે નીચે આપેલા આપણાં ભાઈઓનો સંપર્ક કરી માહિતી મેળવી લેવા વિનંતી.   ખાસ નોંધ : આયોજનના ભાગરૂપે "પાઘમાળા"ની પ્રસાદી લેવા ઈચ્છતા ભાઈ-બહેનોએ તા. ૨૮/૦૪/૨૦૨૨ સુધીમાં પોતના નામ રજિસ્ટર કરાવી દેવા , રજિસ્ટર થયેલા લોકો જ પ્રસાદીના હક્કદાર બનશે. તા.૨૮/૦૪/૨૦૨...