Skip to main content

ભારતમાં ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના યુગનો પ્રારંભ થયો છે- વડા પ્રધાન નરેન્દ્ર મોદી

 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિન સંકુલનું જામનગર ખાતે ભૂમિપૂજન કરીને કહ્યું હતું કે આયુર્વેદને જીવનના જ્ઞાનના રૂપે સમજાય છે ત્યારે આ સેન્ટર 'વસુદેવ કુટુમ્બકમ, સર્વે સન્તુ નિરામયા'ની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારું કેન્દ્ર બની રહેશે.


દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જામનગરમાં મૉરિશ્યસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ અને ડબ્લ્યુએચઓના વડા ડૉ.ટેડ્રોસ ઘેબ્રેયસસ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વના સૌપ્રથમ જીસીટીએમનું ભૂમિપૂજન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જેટલી પ્રતિષ્ઠા ચાર વેદોની છે એમ ચાર વેદોની જેમ આયુર્વેદને પાંચમો વેદ કહેવામાં આવે છે. આજે આધુનિક દુનિયાની જે લાઇફસ્ટાઇલ છે, નવી-નવી બીમારીઓ જોઈ રહ્યા છીએ એને પાર પાડવા માટે ટ્રેડિશનલ નૉલેજ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. સારી હેલ્થનો સીધો સંબંધ બૅલૅન્સ ડાયટથી છે. ભારતીય જીવનપ્રણાલી આયુર્વેદના માધ્યમથી સંતુલિત આહાર, શરીર- મનનું સંતુલન તેમ જ યોગ પ્રાણાયમયુક્ત દિનચર્યાને પ્રાધાન્ય આપે છે. ૧૦૦ વર્ષના આયુષ્યની કામના આપણે ત્યાં સહજ છે. ભારતનું આ જ્ઞાન અહીં પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓના વિકાસમાં મોટો ફાળો આપશે. આજથી પાંચ દશકા પહેલાં વિશ્વની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના જામનગરમાં થઈ હતી. કોરોનાકાળમાં હેલ્થકૅર ડિલિવરી માટે નવા આયામોની આવશ્યકતા દુનિયાને સમજાઈ છે ત્યારે જામનગર ખાતેનું આ ગ્લોબલ સેન્ટર 'વસુદેવ કુટુમ્બકમ, સર્વે સન્તુ નિરામયા'ની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારું કેન્દ્ર બની રહેશે.

નરેન્દ્ર મોદીએ આ તબક્કે કહ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ભારતમાં ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના યુગનો પ્રારંભ થયો છે. આ માત્ર ભવનનો શિલાન્યાસ નથી, પરંતુ પ્રાકૃતિક પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓમાં વિશ્વાસ રાખનારા લોકો માટેના આગવા કેન્દ્રની શરૂઆત છે. એ દુનિયાને અલ્ટરનેટ મેડિકલ સૉલ્યુશન આપવામાં મદદરૂપ થશે.

તેઓએ વધુમાં કહ્યું હતું કે આ ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનામાં વિશ્વ આરોગ્ય સંગઠન અને ભારત સરકારના આયુષ મંત્રાલયની ભાગીદારી માનવતાની સેવાની જવાબદારી નિભાવવા માટેની છે. આવનારાં પચીસ વર્ષમાં ટ્રેડિશનલ મેડિસિન દુનિયાના દરેક પરિવારો માટે મહત્ત્વની બની જશે.

આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાનો સર્વાનંદ સોનોવાલ, મનસુખ માંડવિયા અને મહેન્દ્ર મુંજપરા સહિત વિવિધ દેશોના પ્રતિનિધિઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્રના સંતોમાં આજથી 384 વર્ષ પહેલા જન્મેલા એક મહાન સંતે પોતાના 109 વર્ષના જીવનકાળમાં*આ મહાન સંતે તત્કાલીન સમાજમાં ફેલાયેલા છુતા-છુત, (અસ્પ્રુશ્યતા નિવારણ) માંસાહાર.ચોરી-લુટ અને ઘરેલૂ હિન્સા જેવા અનેક દુષણો દૂર કરવામાં તેમજ સામાજિક ઐક્ય માટે કેવી રીતે પોતાનું જીવન ખર્ચી નાખ્યું તે જોઇએ!*

*જય ભગીરથ જય દાસારામ જય માં ગંગા* 🙏🏽સૌરાષ્ટ્રના સંતોમાં આજથી 384 વર્ષ પહેલા જન્મેલા એક મહાન સંતે પોતાના 109 વર્ષના જીવનકાળમાં *આ મહાન સંતે તત્કાલીન સમાજમાં ફેલાયેલા છુતા-છુત, (અસ્પ્રુશ્યતા નિવારણ) માંસાહાર.ચોરી-લુટ અને ઘરેલૂ હિન્સા જેવા અનેક દુષણો દૂર કરવામાં તેમજ સામાજિક ઐક્ય માટે કેવી રીતે પોતાનું જીવન ખર્ચી નાખ્યું તે જોઇએ!* Credit to (@All copyright reserved _written By✒️Raj Sagar ) 🤝🏼👉🏽ચાલો આજે સંક્ષિપ્તમાં *મહાન ભક્ત શ્રી દાસારામ બાપાનુ જીવન ચરિત્ર જોઈએ*.🙏  👉🏽 *જન્મ અને બાળપણ* 16 થી 17 મી સદીનો સમયગાળો જ્યારે ભારત વર્ષના અડધાથી પોણા ભાગ પર #મોગલ_સામ્રાજ્ય અને ઇસ્લામી રાજાઓ રાજ કરતાં,ગુજરાતમાં પણ ઈસ્લામિક રાજ હતું. 👉🏽ત્યારે સોરઠ પ્રદેશમાં બાલાગામ નામે એક ગામ જ્યાં સગર વીરા ભગત અને હેમીબાઈ નામના દંપતી રહે. ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા દંપતી ખૂબ જ ધાર્મિક અને સેવા પરાયણ જીવન જીવતા,વાણી વર્તન વિચાર જેટલા ધર્મમા લિન એટલુ જ બાહ્ય જીવન સુંદર અને પવિત્ર, #માનવ_સેવા_એજ_પ્રભુ_સેવા જેવા સિદ્ધાંતને ઓળખીને હંમેશની જેમ ગિરનાર પવિત્ર ક્ષેત્રમાં પરોપકારથી નીકળતા.

આજે 'ગુજરાત ગૌરવ દિવસ' નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ પાટણ ખાતે 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આજે 'ગુજરાત ગૌરવ દિવસ' નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ પાટણ ખાતે 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સમગ્ર સેન્ટરની તમામ ગેલેરીઓને અત્યંત રસપૂર્વક નિહાળી હતી. સાથે સાથે બાળકો સાથે ફાઈવ- ડી થિયેટરની ગતિવિધિ પણ નિહાળી હતી. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાએ સમગ્ર કેન્દ્રની મુખ્યમંત્રીને જાણકારી આપી હતી. આ પ્રસંગે શિક્ષણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતુ વાઘાણી તથા સહકાર અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેન્દ્ર વિજ્ઞાનના પ્રચાર - પ્રસાર, તકનિકી જાગૃતિ, સ્ટેમને લોકપ્રિય બનાવવા માટે વિધાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય જનતા માટે એક મહત્વનું સ્થળ બની રહેશે. એટલું જ નહીં, 34 હજાર ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું અને અંદાજે રૂપિયા 100 કરોડના ખર્ચે તૈયાર થયેલું 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'ની રચના વિજ્ઞાન ટેકનોલોજી અને ગણિતના ક્ષેત્રને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે. તેમજ અહીં આવેલ ગેલેરીઓ પાટણ જીલ્લાની વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આ

રાત્રે 12 વાગે દુબઈની હોટલમાં ખજુરભાઈને મળવા માટે પહોંચ્યો 7 વર્ષનો તેમનો દિવ્યાંગ ચાહક, ચિઠ્ઠીમાં લખ્યો એવો સંદેશ કે વાંચીને ભાવુક થઇ જશો,

રાત્રે 12 વાગે દુબઈની હોટલમાં ખજુરભાઈને મળવા માટે પહોંચ્યો 7 વર્ષનો તેમનો દિવ્યાંગ ચાહક, ચિઠ્ઠીમાં લખ્યો એવો સંદેશ કે વાંચીને ભાવુક થઇ જશો, જુઓ વીડિયો ગુજરાતીઓને પેટ પકડીને હસાવનારા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની હાલ દુબઇમાં રજાઓનો આનંદ માણી રહ્યા છે. તે પોતાની ટીમ સાથે ગુજરાતની અંદર 200 ઘર બનાવવાની ખુશીની ઉજવણી કરવા માટે દુબઇ પહોંચ્યા છે, તેમના દુબઇ પ્રવાસની અંદર તેમને મળવા માટે એક 7 વર્ષનું બાળક આવ્યું હતું. જેનો વીડિયો નીતિન જાનીએ શેર કર્યો છે અને આ વીડિયો સામે આવ્યા બાદ નીતિન જાનીના ચાહકો આ બાળકના ખુબ જ વખાણ કરી રહ્યા છે. નીતિન જાનીએ શેર કરેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે દુબઈમાં તે તેમના એક નાના ફેનને મળવા માટે હોટલમાં જઈ રહ્યા છે. નીતિન જાની તેની પાસે જાય છે ત્યારે તેમનો નાનો ફેન વ્હીલચેર ઉપર બેઠેલો જોવા મળે છે. જેની સાથે જઈને નીતિન જાની વાત કરવાનું શરૂ કરે છે અને તેનું નામ પૂછે છે. આ બાળકનું નામ રિતિક વાયા છે, અને તે હેન્ડીકેપ છે. રિતિક તેની સાથે એક કવર લઈને આવ્યો છે અને તે નીતિન જાનીને આપે છે. જેમાંથી 500 દિહરામ અને એક ચિઠ્ઠી નીકળે છે, જેને ખજુરભાઈ વાંચે છે. જેમાં